1 જૂનથી ગુજરાતમાં રાશનની તમામ દુકાનો બંધ, કોઈને નહિ મળે અનાજ, મોટો નિર્ણય

Ration Card KYC News: ગુજરાતની રાશનની દુકાનોમાં 1 જૂનથી અનાજ વિતરણ નહીં કરવાનો નિર્ણય દુકાનદારોએ લીધો છે. ગુજરાત ફેર પ્રાઇસ શોપ્સ (Ration Card KYC News) એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર એસોસિયેશનની આજે બેઠક મળી હતી. જેમાં સરકાર સામે વિવિધ પ્રશ્નો અને માંગણીઓને મુદ્દે 1 જૂનથી રાશન દુકાનોમાં અનાજ વિતરણ ન કરવાનો નિર્ણય લેવાયો છે.

1 જૂનથી અનાજનું વિતરણ બંધ
રેશનકાર્ડ દુકાનદારોની આજે મહત્ત્વની બેઠક મળી હતી. જેમાં 1 જૂનથી રાશન દુકાન ધારકો નહીં કરે અનાજ વિતરણ કરવાનો નિર્ણય લેવાયો છે. અમદાવાદના વસ્ત્રાલ ખાતે એક પાર્ટી પ્લોટમાં બેઠક મળી હતી. આ બેઠકમાં રેશન દુકાનદારો હાજર રહ્યા હતા.

E-KYCને લઈને ફેરશોપ એસોસિએશન દ્વારા નિર્ણય લેવામાં  આવ્યો છે. જેમાં રાજ્યમાં ઘણા નગરિકોએ E-KYC નથી કરાવ્યું એટલા માટે 1 જૂનથી રાજ્યની તમામ રાશન દુકાનો બંધ કરવામાં આવશે. સરકારે અચાનક 14 મે થી KYC ન થયું હોય એવા ગ્રાહકોનો જથ્થો રોક્યો હતો.  

ગુજરાત ફેરપ્રાઇઝ શોપ્સ એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર એસોસિએશનના પ્રમુખે જણાવ્યું, ” અધિકારીઓએ જે કામ કરવું જોઈએ એ કામ કર્યું જ નથી, અધિકારીઓના લીધે KYC કામ જટિલ થઈ ગયું છે.” વધુમાં તેમણે કહ્યું, ‘અધિકારીઓને ખબર છે કે કઈ રીતે કામ કરવું એ પણ થયું નથી. જથ્થો રોકવાના કારણે ગ્રાહકો અને દુકાનદારો વચ્ચે અણબનાવ થાય છે. તેથી અનેક જગ્યાએ મારામારીના કિસ્સા સામે આવી રહ્યા છે.’

સરકાર જ્યાં સુધી E-KYC પૂર્ણ નહિ કરે ત્યાં સુધી વિતરણ નહીં કરાય, હવે સરકાર જ E-KYC પૂર્ણ કરે, પ્રહલાદ મોદીએ કહ્યું. અગાઉ સરકારે E-KYC માટે 5 રૂપિયા આપવાની વાત કરી હતી પણ એ પણ હજુ મળ્યા નથી.

ઘરે બેઠા રેશનકાર્ડનું e-KYC કેવી રીતે કરવું

જો તમે પણ રેશનકાર્ડનું ઈ-કેવાયસી કરવા માંગો છો, તો નીચે આપેલા સ્ટેપ ફોલો કરો અહીં ક્લિક કરો

Leave a Comment