નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના । Namo Saraswati Vigyan Sadhana Yojana

નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના । Namo Saraswati Vigyan Sadhana Yojana: આધુનિક યુગમાં વિજ્ઞાન અને ટેક્નોલોજીનું મહત્વ ખૂબ જ વધી ગયું છે. જેથી વિદ્યાર્થિઓ વધુ પ્રમાણમાં વિજ્ઞાન સાથે જોડાયેલા રહે, તે હેતુ માટે સરકાર દ્વારા “નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના” બહાર પાડવામાં આવેલ છે. આ યોજનામાં ક્યા લાભ મળવાપાત્ર છે, કોણ લાભ લઇ શકે છે, કેવી રીતે અરજી કરવી, તે આપણે નીચે પ્રમાણે જાણીશું.

નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના । Namo Saraswati Vigyan Sadhana Yojana

યોજનાનું નામ નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના
આર્ટીકલની ભાષા ગુજરાતી
યોજનાનો મુખ્ય હેતુ વિજ્ઞાનપ્રવાહમાં ભણતા વિદ્યાર્થિઓને સહાય આપવામાં આવશે.
લાભ લેવા માટેની પાત્રતા લાભાર્થીએ ધોરણ-10 માં 50% કે તેથી વધુ ગુણ મેળવવાનાં રહેશે.
લાભાર્થીને મળતી કુલ સહાય ધોરણ 11 અને ધોરણ 12 માં ભણતા વિદ્યાર્થીનીઓને 25,000 ની સહાય આપવામાં આવશે.
અરજીની પ્રક્રિયા વિદ્યાર્થિઓને અરજીની પ્રક્રિયા શાળામાંથી કરવામાં આવશે.
ઓફિશિયલ વેબસાઈટ https://gujaratindia.gov.in/state-profile/govt-department.htm

સરસ્વતી વિજ્ઞાન સાથેના યોજના હેતુ

સરકાર દ્વારા નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના શરૂ કરવામાં આવેલ છે આ યોજનાનો મુખ્ય હેતુ એ છે કે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયની વધારેમાં વધારે પસંદગી કરે અને તેમાં આગળ વધે. તેઓ વિજ્ઞાન વિષયમાં રસ ધરાવે અને તેના માટે લાભ આપવા આ યોજના શરૂઆત કરવામાં આવી છે.

નમો સરસ્વતી યોજના પાત્રતા

    • વિદ્યાર્થીએ ધોરણ 10 માં 50% કે તેથી વધારે પ્રાપ્ત કરેલા હોવા જોઈએ.

    • ત્યારબાદ આગળ અભ્યાસ માટે ધોરણ 11 અને 12 માં વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવેલો હોવો જોઈએ.

    • તેમના પરિવારની વાર્ષિક આવક 6 લાખથી વધારે હોવી જોઈએ નહીં.

નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના । Namo Saraswati Vigyan Sadhana Yojana

નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનામાં મળતા લાભ

    • સરકારની આ યોજના દ્વારા વિદ્યાર્થીને ધોરણ 11 અને 12 માં વિજ્ઞાન પ્રવાહમાં એડમિશન લીધેલું હોય તો રૂપિયા 25,000 ની સહાય કરવામાં આવશે.

    • જેમાં ધોરણ 11 ના વિજ્ઞાન પ્રવાહમાં ₹10,000 અને ધોરણ 12 માં વિજ્ઞાન પ્રવાહમાં કુલ 15000ની સહાય કરવામાં આવશે.

    • લાભ મેળવનાર વિદ્યાર્થીઓને ધોરણ 11 અને 12 માં મને મળીને કુલ 20,000 રૂપિયા આપવામાં આવશે તેના પછીના 5000 રૂપિયા તેમની બોર્ડની પરીક્ષા પૂર્ણ થાય તેના પછી આપવામાં આવશે.

નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના અરજી પ્રક્રિયા | Namo Saraswati Yojana

    • આ યોજનામાં અરજી કરવા માટેની પ્રક્રિયા જે તે શાળાના નિયમો દ્વારા કરવામાં આવશે.

    • સૌપ્રથમ સ્કૂલમાં એક નમો સરસ્વતી પોર્ટલ બનાવવામાં આવશે.

    • અને આ યોજનામાં વિદ્યાર્થીને મળતી સહાયની રકમ એ જે તે વિદ્યાર્થીના વાલીના બેંક ખાતામાં ડાયરેક્ટ ટ્રાન્સફર કરવામાં આવશે.

    • જે વિદ્યાર્થીઓ ઉચ્ચતર માધ્યમિક વિજ્ઞાન કરવામાં અભ્યાસ કરી રહ્યા છે તો સૌપ્રથમ તેમની રજીસ્ટ્રેશન પ્રક્રિયા ની તપાસ કરવામાં આવશે અને તેના પછી જુઓ તેઓ તેઓ યોગ્યતા ધરાવતા હશે તો નમો સરસ્વતી પોર્ટલ પર તે માહિતી અપલોડ કરવામાં આવશે.

    • આ યોજનામાં અરજી કરવા શાળાના વિદ્યાર્થીની હાજરી 80% નહીં થાય તો તે યોજનામાં અરજી કરી શકે નહીં.

    • જે વિદ્યાર્થીઓ રીપીટર છે તેમને આ યોજના જ્યાં સુધી તેઓ અભ્યાસ કરે છે ત્યાં સુધી મળશે.

    • અને જો વિદ્યાર્થી પહેલાથી બીજી કોઈ શિષ્યવૃતિનો લાભ મેળવતો હોય તો પણ તે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનામા અરજી કરી શકે છે અને લાભ મેળવી શકે છે.

Important Links – મહત્ત્વપૂર્ણ લિંક

સત્તાવાર વેબસાઇટ અહીં ક્લિક કરો
પરીપત્ર અહીં ક્લિક કરો
ટેલિગ્રામ ચેનલમા જોડાઓ અહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ અહીં ક્લિક કરો

FAQ. વારંવાર પૂછાતા પ્રશ્નો

1. નમો સરસ્વતી વિજ્ઞાનસાધના યોજના” શું છે?

જવાબ.  આ યોજના દ્વારા વિજ્ઞાનપ્રવાહનાં વિદ્યાર્થિઓને સહાય આપવામાં આવે છે.

2. આ યોજનાનો મુખ્ય હેતુ શું રાખવામાં આવ્યો છે?

જવાબ. આ યોજનાનો હેતુ એ છે કે  વિજ્ઞાનપ્રવાહમાં ભણતા વિદ્યાર્થિઓને સહાય આપવામાં આવશે.

3. આ યોજનાનો લાભ લેવા માટે શું પાત્રતા હોવી જોઇએ?

જવાબ. આ યોજનાનો લાભ લેવા માટે લાભાર્થીએ ધોરણ-10 માં 50% કે તેથી વધુ ગુણ મેળવવાનાં રહેશે.

4. આ યોજનામાં લાભાર્થીઓને કેટલી સહાય આપવામાં આવે છે?

જવાબ. આ યોજનામાં વિદ્યાર્થિઓને 25,000 ની સહાય આપવામાં આવશે.

Leave a Comment