નવા પગારપંચમાં સાતમાં પગારપંચ જેટલો પગાર વધારો નહીં થાયઃ કેન્દ્ર સરકાર : 8th Pay Commission

8th Pay Commission: મોદી સરકારે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને ખુશખબર આપી છે. તેણે ગુરુવારે જાહેરાત કરી હતી કે લાખો કર્મચારીઓના પગાર અને નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં વધારો કરવા માટે 8મું પગાર પંચ લાગુ કરવામાં આવશે.

માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે ખુલાસો કર્યો કે, દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

આઠમાં પગારપંચમાં કર્મચારીઓને ‘બખ્ખા’ થવાની શક્યતા નથી

નવા પગારપંચમાં સાતમાં પગારપંચ જેટલો પગાર વધારો નહીં થાયઃ કેન્દ્ર સરકાર રાજયોની પણ ચિંતા કરી રહી છે

દેશમાં ફરી એક વખત આઠમા પગાર પંચની ચર્ચા શરૂ થઈ છે અને સરકારે હજુ તેમાં નવા પગાર પંચની રચનાનું જાહેરનામુ પણ બહાર પાડયું નથી.

અગાઉ પણ મોદી સરકારે નવા પગારપંચની રચના અંગે બહુ ઉત્સાહ દાખવ્યો ન હતો પરંતુ ચૂંટણીના રાજકારણે સરકારને નવા પગારપંચની રચનાની જાહેરાતની ફરજ પાડી તે બાદ હજુ એક ડગલુ આગળ વધી નથી.

તે વચ્ચે ટોચના સરકારી સુત્રના જણાવ્યા મુજબ આઠમુ પગારપંચ એ કર્મચારીઓ માટે એટલો લાભ નહીં લાવે જેટલો સાતમા પગારપંચ મારફત મળ્યો હતો સરકારે એવું વિચારે છે કે કર્મચારીઓના પગારની એક મર્યાદા આવી ગઈ છે.

Leave a Comment